વિરપરડા ગામના પાટીયા પાસે આશાપુરા સેવા કેમ્પ સમિતી દ્વારા સેવા કેમ્પનું આયોજન 

- text


મોરબી : કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીના વિરપરડા ગામના પાટીયા પાસે આશાપુરા સેવા કેમ્પ સમિતી, કાળભૈરવ ગ્રુપ, વિરપરડા – મોડપર દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તારીખ 23 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમ્યાન મોરબીના વિરપરડા ગામ આશાપુરા સેવા કેમ્પ સમિતી દ્વારા પીપળીયા ચાર રસ્તા થી 4 કિમી આગળ જામનગર હાઇવે પર કેમ્પમાં પદયાત્રીઓને સેવા આપવામાં આવશે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે.

- text