મોરબીમાં 27 તારીખે નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાશે

- text


મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તાં 27-9-2023ને શુક્રવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 8:30 થી 12:30 કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આં કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો દ્વારા સેવા આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર. 94272 13999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text