રિલીફ કમિટી- મોરબી દ્વારા મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : રિલીફ કમિટી- મોરબી દ્વારા મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ- 2024 યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ડો. મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર), હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા (PSI) તેમજ ડો. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર સહિતના મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા.

મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કર્યું હતું. આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ રીતે રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજ ના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.

આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધિ રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.

- text

- text