મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિકલાંગોને વ્હીલચેર અપાઈ

- text


મોરબી : મહિલાઓ દ્વારા સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી- મોરબી દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ 4 વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓને સશક્ત બનાવવાના આશાય સાથે નિઃસ્વાર્થ ભાવે મુસ્કાન વેલ્ફેર સોસાયટી- મોરબી દ્વારા આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મુસ્કાન વેલ્ફેર સોસાયટી- મોરબી દ્વારા પરોપકારની ભાવનાથી હંમેશા અગ્રેસર રહીને સમૂદાયને મજબૂત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

- text

- text