23 સપ્ટેમ્બરે મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે

- text


ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતિમાં જલારામ મંદિર ખાતે યોજાશે બેઠક 

મોરબી : વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના જલારામ મંદિર ખાતે ખાતે 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે.

- text

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે 23 સપ્ટેમ્બર ને સોમવારના રોજ સાંજે 7 કલાકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જિલ્લાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટ ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે. વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત યોજાનાર બેઠકમાં જિલ્લામાં વિવિધ સ્થળે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા ઉપરાંત સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થા આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. બેઠકને સફળ બનાવવા મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text