- text
મોરબી : મોરબીના બેલા – પીપળી રોડ ઉપર પટેલ વિહાર હોટલ પાસે દુકાન ધરાવતા લાલજીભાઈ મનસુખભાઇ પરમાર ઉ.33 રહે.મારુતિપાર્ક સોસાયટી, બેલા – પીપળી રોડ મોરબી નામના યુવાન વેપારીએ ગત તા.14ના રોજ પોતાની જ દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી સળગી જતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.19ના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text