માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે આજથી સેવા કેમ્પનો પ્રારંભ

- text


મોરબી : કચ્છ સ્થિત માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21 સપ્ટેમ્બર ને શનિવારથી રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તો આ સેવા કેમ્પનો વધુ ને વધુ પદયાત્રિકો લાભ લે તેવી સમસ્ત લજાઈ ગામ દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.નં. 9825380343 અથવા 9726920521 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text