મોરબીમાં ભારે વાહનોને પ્રવેશબંધી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું 

- text


મોરબી : મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર (1) દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, (2) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (3) ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર તા. 18-12-2024 સુધી સવારના- 08:00 કલાકથી રાત્રીના- 22:00 કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

- text

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

- text