મોરબી બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : કચ્છ માતાના મઢ જતાં પદયાત્રિકો માટે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 22 સપ્ટેમ્બરથી આ સેવા કેમ્પનો પ્રારંભ થશે. કેમ્પમાં મેડિકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર, ચા-પાણીની સગવડ, રાત્રિ રોકાણની સુવિધા, પદયાત્રિકોને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવસ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો સાથે અનુભવી મેડિકલ ટીમ‌ દ્વારા તમામ પ્રકારની સેવા તથા આગળ જતા પદયાત્રીને રસ્તામાં તકલીફ નો પડે તે માટેની જરૂરિયાત મુજબની વસ્તુઓની સેવા જેવી અનેક પ્રકારની સેવા આપવામાં આવશે. તો પદયાત્રિકોને આ સેવાનો લાભ આપવા અને લોકોને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પ સમિતિ દ્વારા આહ્વાન કરાયું છે. વધુ માહિતી માટે મો.નં. 7043306056 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text