25 સપ્ટેમ્બરે મોરબી જિલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 25 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા) દ્વારા જણાવાયું છે કે, મોરબી જિલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગનું આયોજન 25 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સાંજે 5-30 કલાકે મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર હોલ ખાતે કરાયું છે.

- text

આ મીટીંગમાં જુદા-જુદા એજન્ડાની વિગતવાર ચર્ચા વિચારણા કરવાની હોય મોરબી જિલ્લામાં વસતા રાજપૂત સમાજના તમામ ભાઈઓને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

- text