- text
મોરબી : અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપુત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદ્દેદારો સાથે હજારોની સંખ્યામાં રાજપૂત કરણી સેનાના સૈનિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ શાપર, શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા સાથે જિલ્લાના મુખ્ય હોદ્દેદારો અને કરણી સેનાના સૈનિકો જોડાયા હતા.
- text
- text