મોરબીમાં સ્વ. દામજીભાઈ હડિયલના સ્મરણાર્થે નિઃશુલ્ક નેત્રમણી કેમ્પ યોજાયો

- text


મોરબી : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ અને હરિહર અન્નક્ષેત્ર મોરબી દ્વારા કંડલા બાયપાસ રોડ પર આવેલ શ્રીકૃષ્ણ હોલ ખાતે 19 સપ્ટેમ્બરના રોજ નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું મુખ્ય આયોજન સેવા મૂર્તિ શ્રી જમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક અને એલ. ડી. હડિયલ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા સ્વ. દામજીભાઈ અવચારભાઈ હડિયલના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જરૂર મુજબના તમામ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવશે તેમજ ઓપરેશનનો તમામ ખર્ચ તેમજ આવવા જવાના અને રહેવા જમવાનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક જમનાદાસજીએ જણાવ્યું હતું કે, કે દર મહિનાની 19 તારીખે ક્રિષ્ના હોલ ખાતે નેત્રમણી કેમ્પ યોજાશે જેથી જરૂરિયાતમંદ દર્દીઓએ દર મહિનાની 19 તારીખે આ કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું.

- text