મોરબીના સિનિયર સિટીઝનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહ્વાન

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત મોરબીમાં વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સિનિયર સિટીઝન ક્લબ મોરબી દ્વારા તારીખ 22-9-2024 ને રવિવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન મોરબી રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના તમામ સિનિયર સિટીઝનને આ અભિયાનમાં જોડાવવા વરિષ્ઠ નાગરિક મંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text