- text
મોરબી : મોરબીમાં સ્વ. ધીરજલાલ કેશવજીભાઈ સરાસવાડીયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે સરાસવાડીયા પરિવાર દ્વારા તેમના બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ કેમ્પમાં 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ, ભરતભાઈ, ચિંતનભાઈ અને ચેતનભાઇ એ જહેમત ઉઠાવી હતી. સરાસવાડિયા પરિવારે બેસણા પ્રસંગમાં બ્લડ કેમ્પનું આયોજન કરીને એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. બ્લડ કેમ્પના આયોજકો અને રક્તદાતાઓનો સંસ્કાર બ્લડબેંકના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ પટેલે આભાર માન્યો હતો.
- text
- text