પ્રેરણાદાયી : સ્વર્ગસ્થનાં બેસણાની સાથે સરાસવાડીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : સ્વ. ધીરજલાલ કેશવજીભાઈ સરાસવાડીયાને શ્રદ્ધાંજલિ આપવા તેમના બેસણાની સાથે સરાસવાડીયા પરિવાર દ્વારા તારીખ 20 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવેશભાઈ સરાસવાડીયા અને ભરતભાઈ સરાસવાડીયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા ધીરજલાલ સરાસવાડીયાને સાચી શ્રદ્ધાંજલિ આપવા સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી સવારે 8 થી 10 વાગ્યા સુધી મોરબીના એસપી રોડ પર સિલ્વર હાઈટ A-501 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં સૌને સ્વૈચ્છિક રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરવામાં આવી છે.

- text

- text