વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : સરકારના ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અંતર્ગત રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વચ્છતા શપથ, બસ અને બસ સ્ટેન્ડ સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજાના ખુબ સરસ આયોજન સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આયોજનના ભાગરૂપે વાંકાનેર એસ.ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text