સ્વર્ગસ્થ પિતાના સ્મરણાર્થે મોરબીના પાંચોટીયા પરિવારે દીકરીઓને નેકલેસનું વિતરણ કર્યું

- text


મોરબી : જગત જનની આદ્યશક્તિ મા જગદંબાના નવલા નોરતા એટલે શક્તિ ઉપાસનાનાં દિવસો. ગુજરાતીઓ માટે રાસ ગરબાની પરંપરાને ઉજાગર રાખવાના દિવસો. મા જગદંબાના સ્વરૂપ નાની નાની દીકરીઓ પારંપરિક આભૂષણો ધારણ કરી મા જગદંબાના ગરબા રમી શકે તે હેતુથી સ્વ. પિતા વિઠલભાઈ ચકુભાઈ પાંચોટીયાના સ્મરણાર્થે રાજુભાઈ, ભુપતભાઈ અને વિજયભાઈ તરફથી રોટરીગ્રામ (અ), બગથળા, નવા સાદુળકા અને ભરતનગર પ્રાથમિક શાળાની 350 દીકરીઓને ટ્રેડીશનલ નેકલેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મહત્વનું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દિપનિધિ ઈમીટેશન મોરબી દર વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્રે શાળાની દીકરીઓને અલગ અલગ વસ્તુઓની લહાણી કરી સાત્વિક દાનની પરંપરાને ઉજાગર કરે છે. ત્યારે આ વર્ષે દિપનિધિ ઈમીટેશન તરફથી મોરબીની આજુબાજુની શાળાની 350 બાળાઓને નેકલેસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે ચારેય શાળા પરિવારે દિપનિધિ ઈમીટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text