ભાજપમાં સદસ્યતા નોંધાવતું પ્રથમ સમસ્ત ગામ બન્યું વાંકાનેરનું જાલીડા

- text


મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ ભાઈઓ અને બહેનોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી જાલીડા ભાજપની સદસ્યતા નોંધાવતું સૌપ્રથમ સમસ્ત ગામ બન્યું છે.

સમસ્ત ગામ લોકોની સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વૃંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text