મોરબીમાં અનેક રસ્તાઓ નવા બનાવવા સામાજિક કાર્યકરોની રજૂઆત

- text


મુખ્યમંત્રી, ચીફ ઓફિસર સહિતનાઓને રજૂઆત કરી તાત્કાલિક રસ્તા નવા બનાવવા માગ

મોરબી : મોરબીમાં આવેલા ખખડધજ રોડ સંપૂર્ણપણે નાસ પામ્યા હોય ત્યારે આ દરમ્યાન મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઇ વી દવે, જગદીશભાઈ બાંભણીયા અને દેવેશભાઈ રાણેવાડિયા દ્વારા ચીફ ઓફિસર મોરબી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મોરબી કલેક્ટર અને મોરબી-માળીયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં આવેલા ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, ચિત્રકૂટ રોડ અને કબ્રસ્તાન વાળો રોડ તેમજ દરબારગઢથી ગ્રીન ચોક, ગ્રીનચોકથી નહેરુ ગેટ તથા નહેરુ ગેટથી જુના બસ સ્ટેશન અને જૂના બસસ્ટેન્ડથી જડેશ્વર રોડ સંપૂર્ણ નાશ પામ્યો છે. આ રોડથી મોરબીના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને દુકાનમાં પણ પાણી ઉડે એવી કાપચીઓ નાખવામાં આવી છે. આ અંગે અગાઉ અરજી કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હવે દિવાળીનો તહેવાર પણ આવશે. ત્યારે આ તમામ રસ્તાઓ નવા બનાવવા વેપારીઓ તથા આમ જનતાની માગ છે.

- text