બાલદાઢી કરાવી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મૃત્યુ

- text


ઉંચી માંડલ ગામે પસાર થતી નર્મદા કેનાલમાં બનેલો બનાવ

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં નેહાની સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતો મૂળ ઝારખંડનો વતની યુવાન પત્નીને બાલદાઢી કરાવવા જવાનું કહીને નીકળ્યા બાદ બાલદાઢી કરાવી નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.15ના રોજ મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેહાની સિરામિક ફેક્ટરીમા કામ કરતો મૂળ ઝારખંડનો વતની યુવાન અમિત વિભીષણ નાયક તેની પત્ની મધુસ્મિતાને બાલદાઢી કરાવવા માટે જાઉં છું કહીને નીકળ્યો હતો અને બાદમાં બાલદાઢી કરાવીને પરત આવી એકોર્ડ સિરામિક સામે નર્મદા કેનાલના ન્હાવા પડતા ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text