મોરબીમાં સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ અંતર્ગત 18 સપ્ટેમ્બરે સવારે રેલી યોજાશે

- text


મોરબી : ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024ની કામગીરીના ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા કાર્યક્રમનું આયોજન તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા અનેકવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમનો યોજાઇ રહ્યા છે. ત્યારે આવતીકાલે તારીખ 18-9-2024 ને બુધવારના રોજ સવારે 7 કલાકે ઉમિયા સર્કલથી બસ સ્ટેશન, શનાળા રોડ, મોરબી સુધી રેલી નીકળશે. ત્યારે આ રેલીમાં જોડાવા માટે સર્વેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text