મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી ધોળા દિવસે સ્ટ્રીટલાઈટો ચાલુ

- text


મોરબી : મોરબી નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. મોરબી શહેરના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી રોડની સાઈડમાં રહેલી સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકે આ અંગે વીડિયો ઉતારી જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીમાં ગઈકાલે પણ સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ હતી અને આજે પણ હજુ ચાલુ છે. ત્યારે આ અંગે લોકો નગરપાલિકા સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

- text

- text