- text
મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લામાં ષષ્ઠીપુરતી વર્ષ એટલે કે વિહીપને જ્યારે 60 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે ભારતભરના દરેક જિલ્લાના દરેક પ્રખંડમાં વિરાટ હિન્દૂ સંમેલનના આયોજન અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા પ્રખંડમાં, વાંકાંનેર પ્રખંડમાં તથા મોરબી પ્રખંડમાં હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટંકારા પ્રખંડમાં સંત શ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા. સુરેન્દ્રનગર વિભાગ બજરંગદળ સંયોજક કમલભાઈ દવે દ્વારા વિહીપ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર વિભાગના સમાજિક સમરસતાના સંયોજક અને કાર્યક્રમના મુખ્ય વક્તા રમેશભાઈ પંડયાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. આ કાર્યક્રમમાં વિભાગ તથા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, પરેશભાઈ તન્ના, ટંકારાના કાર્યકર્તા યોગીરાજસિંહએ કાર્યક્રમ ને સફળ કરવા ખુબ મહેનત કરી હતી.
એવી જ રીતે વાંકાનેર પ્રખંડમાં ગાયત્રી શકિત પીઠ મંદિર ખાતે પણ હિન્દૂ સંમેલન યોજવામાં આવ્યું હતું. જ્યાં મંદિરના સંત અશ્વિન બાપુ તથા ભુરયા હનુમાનજીની જગ્યાના મંહત સતિષબાપુ માધવાચાર્ય દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિહીપ મોરબી જિલ્લામંત્રી ભાવિકભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે વિહીપના 60 વર્ષ પૂર્ણ તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ દ્વારા પણ વિહીપની માહિતી આપી વધુ લોકોને વિહીપમાં જોડવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા બજરંગદળ સહ સંયોજક મહેશભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર પ્રખંડના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ તથા વાકાનેર પ્રખંડ બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરાએ મહેનત કરી હતી. આ ઉપરાંત બધા લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- text
- text