મોરબીના શક્ત શનાળા ગામે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે તારીખ 24 સપ્ટેમ્બર થી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ સ્થિત માતાના મઢે ચાલીને જતા પદયાત્રિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ઓમ શક્તિ ગ્રુપ દ્વારા શક્ત શનાળા ગામે હ્યુન્ડાઈ શોર-રૂમની બાજુમાં સંગમ વોટર પાર્ક ખાતે આ કેમ્પ યોજાશે. જેમાં પદયાત્રિકોને રહેવા-જમવા, સારવાર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ રસ્તામાં પદયાત્રિકોને કોઈ મુશ્કેલી પડે તો ઓમ શક્તિ ગ્રુપ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દિગુભા ઝાલા- મો.નં. 9638977777, યુવરાજસિંહ ઝાલા- મો.નં. 9228200002, ધર્મેન્દ્રસિંહ ઝાલા- મો.નં. 9601799999, પ્રદિપસિંહ ઝાલા- મો.નં. 9427236700, હરેન્દ્રસિંહ ઝાલા- 9016922222 પર સંપર્ક કરવા જણાવાયું છે. મહત્વનું છે કે, છેલ્લા 10 વર્ષથી ઓમ શક્તિ ગ્રુપ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- text