માળિયા-મોરબી હાઈવે પર ભરતનગર પાસે “માં ભરોસે” પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : કચ્છ સ્થિત માતાના મઢે જતા પદયાત્રિકો માટે તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી માળિયા-મોરબી પર આવેલા ભરતનગર ગામ પાસે નર્મદા કેનાલ પાસે મા ભરોસે પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મા ભરોસે પદયાત્રિ સેવા કેમ્પનું આ 14મું વર્ષ છે. જેમાં સ્વયંસેવક કિશોરભાઈ, પ્રતિપાલસિંહ અને સિદ્ધરાજસિંહ સહિતના દ્વારા માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રિકોને આ સેવા કેમ્પમાં 24 કલાક ગરમ પાણી, ચા-નાસ્તો, મેડિકલ તથા ઠંડા પીણા અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દરેક ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.

- text