મોરબીની ધર્મજીવન સોસાયટીમા પાંચમા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરની ધર્મજીવન સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સના નવા બની રહેલા બિલ્ડીંગમાં પાંચમા માળની છત ખોલતી વખતે નીચે પટકાતા દાહોદ જિલ્લાના વતની વિક્રમભાઈ પુનાભાઈ બારીયા ઉ.29 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text