હળવદના ગોરી દરવાજા રામપીરના મંદિર ખાતે આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન

- text


હળવદ : આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (નવું) ગોરી દરવાજા સમસ્ત હળવદ દ્વારા ગોરી દરવાજા રામપીરના મંદિર ખાતે આજે તારીખ 14-9-2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં શિવ સાઉન્ડના સથવારે જયસુખ ઉસ્તાદ એન્ડ ગ્રુપના રિધમ સાથે ભજનીક જયમંત દવે, ભજનિક અરુણાબેન દલવાડી, લોકસાહિત્યકાર પી.વી.જાદવ, બાળ કલાકાર પાર્થ દલવાડિયા, લોક ગાયક નાનો બંકી ભજનની રમઝટ બોલાવશે.

- text

- text