મોરબી શહેરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખની માગ

- text


મોરબી : મોરબી શહેરમાં ગાય માતાના ઘાસચારા માટે જગ્યા ફાળવી ઘાસચારાની વ્યવસ્થા કરવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

પુષ્પરાજસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ મોરબી શહેરમાં ખડપીઠ વિસ્તારમાં અંદાજિત 200થી વધુ ગાય માતા જોવા મળે છે. તેમજ આ જગ્યાએ ગાય માતાને ઘાસચારો મળતો ન હોવાથી વલખા મારી રહી છે. જેથી મોરબી શહેરમાં ગાય માતા ભુખ્યા પેટે વલખા મારે એ આપણા માટે લાંછન કહેવાય. જેથી તાત્કાલિક ધોરણે મોરબી શહેરમાં ગાય માતાના ઘાસચારા માટેની જગ્યા ફાળવી, ગાય માતાના ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવા માગ કરવામાં આવી છે.

- text

- text