આમ આદમી પાર્ટીના વાંકાનેર તાલુકાના હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું

- text


વાંકાનેર : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાના હોદ્દેદારોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાને મજબુત કરવા માટે કાર્યકરો તથા હોદ્દેદારો સાથે ખાટલા બેઠક કરવામાં આવી હતી.

આ સ્નેહમિલનમાં મોરબી જિલ્લા ટીમમાં જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ વાળા, યુવા પ્રમુખ દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતીયા તથા જેનીથ ચડાસણીયા તથા વાંકાનેર ટીમમાંથી વાંકાનેર તાલુકા પ્રમુખ અહમદભાઈ હસનભાઈ હાજી સાહેબ, વાંકાનેર શહેર પ્રમુખ તોફીકભાઈ અમરેલીયા, તાલુકા મહામંત્રી ઉસ્માન ગનીભાઈ તથા વાંકાનેર તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. આ સંમેલનમાં વાંકાનેર તાલુકા અને શહેરની ટીમ મજબુત બનાવવી અને આવનારી નગરપાલિકાની ચૂંટણી માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને નગરપાલિકા ચૂંટણી જીતવા માટે મજબુત સંગઠન માળખું બનાવવા માહિતી આપી હતી. સંમેલનના અંતે તમામે વાંકાનેર તાલુકાને મજબુત કરવા માટે સંક્લ્પ કર્યો હતો.

- text

- text