મોરબીમાં બાકી વ્યવસાય વેરો 30મી સુધીમાં ભરી દેવા પાલિકાની તાકીદ

- text


મોરબી : મોરબી શહેરમાં વ્યવસાય વેરો ભરતા તમામ આસામીઓને તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરાની રકમ નગરપાલિકામાં ભરપાઈ કરી દેવા નગરપાલિકાએ તાકીદ કરી છે. અન્યથા સમય મર્યાદા બાદ વ્યાજ સહીત વેરો ભરવાનો થશે. તેમજ નવા કરદાતાઓએ સમય મર્યાદામાં પોતાની નોંધ કરાવી અને વ્યવસાય વેરો ભરપાઈ કરી દેવા નગરપાલિકા નાયબ વ્યવસાય વેરા કમિશ્નર તથા ચીફ ઓફિસર કુલદિપસિંહ વાળા તેમજ એચ.ઓ.ડી.એ જગદીશ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- text

- text