માળિયા નજીક રેલવે બ્રિજ પાસે નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


માળિયા (મિયાણા) : માળિયા નજીક આવેલા રેલવે બ્રિજ પાસે આવેલી નદીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત થયું છે. માળિયા તાલુકાના ધરમનગર (નવાગામ) ગામનો 19 વર્ષીય જયેશભાઈ પ્રકાશભાઈ ધામેચા નામનો યુવાન ગઈકાલે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણોસર તે નદીમાં પડી ગયો હતો. આ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

ગઈકાલે બપોર બાદ ફાયરની ટીમે નદીમાં યુવાનની શોધખોળ કરી હતી પરંતુ સાંજ સુધી યુવક મળી આવ્યો ન હતો. જેથી આજે વહેલી સવારથી ફાયરની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને માછીમારોની મદદ લઈને નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી છે. આ દરમિયાન આજે સવારે યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે.

- text

- text