મોરબીમાં વેપારીઓએ ભૂગર્ભ ગટરના પ્રશ્નના ઉકેલ બદલ ચીફ ઓફિસરનો માન્યો આભાર

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરવાના પ્રશ્ને વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હાલ આ પ્રશ્ને ઉકેલ આવ્યો છે. ત્યારે આ દરમ્યાન વેપારીઓ અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના લોકો દ્વારા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાનું પુષ્પ ગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, જુના બસ સ્ટેન્ડ પાછળ જે ભૂગર્ભ ગટર છે તેમા વરસાદી પાણી ભરાવાને પ્રશ્ને 3 વર્ષથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે જે અંગે વારંવાર રજુઆત કરવામાં આવતી હતી. ત્યારે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા દ્વારા માત્ર ત્રણ દિવસમાં ઉકેલ લાવવામાં આવ્યો છે.

- text

- text