મોરબી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કર્યા

- text


મોરબી : હાલ ગણપતિ મહોત્સવ નિમિત્તે મોરબી શહેરમાં વિવિધ સ્થળે ગણપતિ પંડાલ બનાવી ત્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે મોરબી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ ગણપતિ પંડાલની મુલાકાત લઈ ગણપતિજીની દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ મોરબીમાં આવેલા ન્યૂ હાઉસિંગ બોર્ડ કા રાજા અને કાયાજી પ્લોટ કા રાજાના દર્શન કર્યા હતા. જેમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોમાં મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ દીગપાલસિંહ રાણા, જિલ્લા ઉપપ્રમુખ દિગુભા જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી કનકસિંહ ઝાલા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા વિરપરડા, શહેર સોશિયલ મીડિયા ઈન્ચાર્જ યશપાલસિંહ ઝાલા, જુવાનસિંહ જાડેજા સહિતના લોકોએ દર્શન કરીને ગણપતિજીની આશીર્વાદ લીધા હતા.

- text

- text