ટંકારામાં ગણેશ વિસર્જન માટે શિતળા માતાની ધારે પોઈન્ટ રાખવામાં આવ્યો

- text


ટંકારા : ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને વહીવટદાર કેતન સખિયા મામલતદાર ટંકારા દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી ધ્યાનમાં રાખીને ગણેશ વિસર્જન માટે ટંકારાના કોઠારીયા રોડ પર આવેલી શિતળા માતાની ધારે આવેલી ખાણની પસંદગી કરવામાં આવી છે અને તમામ ભાવિકોને આગામી તારીખ 15 સપ્ટેમ્બર રવિવારે તથા 17 સપ્ટેમ્બર મંગળવારે સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં વિસર્જન માટે કલેક્શન ટીમ સાથે વ્યવસ્થા કરી હોય દરેકને મુર્તિ સાથે વધુમાં વધુ 4 લોકો હાજર રહી વિસર્જન કરવા સુચના આપવામાં આવી છે. તદ્ઉપરાંત ટંકારા ખાતે કોઈ અન્ય સ્થળે વિસર્જન ન કરવા જણાવ્યું છે.

- text

- text