- text
વાંકાનેર : મોરબી જિલ્લા કલેક્ટરના જાહેરનામા સંદર્ભે વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરમાં ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટેના પોઈન્ટની જાહેરાત કરી છે. વાંકાનેર સિટી પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેર નગરપાલિકા દ્વારા ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલી નવોદય વિદ્યાલયની પાસે વિસર્જન પોઈન્ટ રાખવામાં આવ્યો છે. તેથી વાંકાનેર શહેરના તમામ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન આ જગ્યા પર કરવા જણાવાયું છે. આ સિવાય અન્ય તળાવ, નદી, ચેકડેમ કે જળાશયમાં વિસર્જન કરવામાં આવશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- text
- text