ટંકારામા સગીરાએ અને વાંકાનેરમા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં આપઘાતના બનાવોનું પ્રમાણ વધ્યું છે ત્યારે ટંકારા તાલુકાના સજ્જનપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની સગીર દીકરીએ અને વાંકાનેરના કોઠારીયા ગામે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે બન્ને બનાવમાં તપાસ શરૂ કરી છે.

અપમૃત્યુના પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના સજ્જનપર ગામે મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની પપ્પુભાઈ કાલિયાભાઈ ડામોરની 16 વર્ષની પુત્રી નીરાલીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા અનિશાબેન રૂકમુદિન શેરસિયા ઉ.40 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text