મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વાજતે ગાજતે દુંદાળા દેવનું ભવ્ય આગમન

- text


મોરબી : આજરોજ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો છે. કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ, નગારા અને ત્રાસા સાથે ગણપતિ મહારાજનું ભવ્ય અને ભાવભર્યું આગમન થયું હતું તેમજ કોલેજની વિદ્યાર્થિની બહેનો દ્વારા ગણપતિ મહારાજનું સામૈયું કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા કોલેજના રંગભવન માં ગણપતિ મહારાજની સ્થાપના વિધિ પરિપૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ કોલેજના 51 વિધાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફે પરંપરાગત પોશાક એટલે કે ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ, કોલેજના સ્ટાફગણ તથા ખુબ જ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાયા હતા.

- text

- text