નગરપાલિકા રદ કરી પુનઃ પંચાયત કાર્યરત કરવા 4 સપ્ટેમ્બરે ટંકારામાં યોજાશે મહારેલી

- text


નગરપાલિકા હટાવી ગામડા ગામને બચાવવા સહિયારો પ્રયાસ

ટંકારા : ટંકારા નગરપાલિકા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે આગામી તારીખ 4 સપ્ટેમ્બર ને બુધવારના રોજ નગરપાલિકા રદ કરી પુનઃ પંચાયત કાર્યરત કરવાની માગ સાથે ટંકારા ગામ સમસ્ત દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહારેલી સાથે મામલતદારને આવેદન આપવામાં આવશે.

નગરપાલિકા હટાવવાની માગ સાથે 4 સપ્ટેમ્બર ને બુધવારના રોજ સવારે 10 થી 12 કલાક સુધી દયાનંદ ચોકથી મહારેલીનું પ્રસ્થાન થશે. ટંકારા ગામ સમસ્તનું કહેવું છે કે, નગરપાલિકા સત્તાપક્ષ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હોય હાલ વસ્તીની દ્રષ્ટિએ કે અન્ય કોઈપણ દ્રષ્ટિકોણથી ગામ નગરપાલિકાના દાયરામાં આવતું ન હોય તેમજ ગ્રામજનોના પ્રશ્નોને વાચા ગ્રામ પંચાયત આપી શકે છે. તેથી નગરપાલિકા હટાઓ ગામડા (ગામ) બચાવોના નારા સાથે નગરપાલિકાના વિરોધમાં મહારેલીનું આયોજન કરાયું છે. આ મહારેલીમાં વધુ ને વધુ ટંકારાવાસીઓને જોડાવવા ટંકારા ગામ સમસ્ત દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text