વાંકાનેરમા ઇલેક્ટ્રિક મોટર રીપેર કરતા સમયે અચાનક કરંટ આવતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text