ભારે કરી ! માળીયા મિયાણાના ખાખરેચી ગામે તસ્કરો બે ભેંસ ચોરી ગયા

- text


મોરબી : ઘરફોડી, વાહનચોરી અને ઓનલાઈન ફ્રોડના જમાનામા તસ્કરો મોકો મળ્યે જીવિત પશુઓની પણ ચોરી કરી રહ્યા છે, માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવી જ એક ઘટનામાં તસ્કરો પશુપાલકે વાડામાં બાંધેલી 1.40 લાખની કિંમતની બે ભેંસ ચોરી કરી જતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને ખાખરેચી ગામથી વેણાસર ગામ જવાના રસ્તે પશુવાડો ધરાવતા બળદેવભાઈ માત્રાભાઈ શિયારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગત તા.17ના રોજ સાંજના 6.30થી તાં18ના સવારના 6 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ રૂપિયા 1.40 લાખની કિંમતની બે ભેંસની ચોરી કરી લઈ જતા ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text