મોરબીના વજેપરમા પારકી જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


ભાયુભાગે આવેલી જમીન ઉપર પશુ વાડો બનાવી નાખ્યો હતો

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબરની સતવારા વૃઘ્ધની જમીન ઉપર પશુપાલકે પશુ વાડો બનાવી નાખી કબ્જો કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નવલખી રોડ ઉપર વજેપર સર્વે નંબર 210ની ફરિયાદી મોહનભાઇ મોતીભાઇ પરમાર, રહે.મોરબી નાની વાવડી રોડ, પાસે બાપાસીતારામ મઢુલીની બાજુમાં બાવરાની વાડી વાળાની માલિકીની 495 ચોરસ મીટર જમીનમાં આરોપી રમેશભાઇ ગોકળભાઇ ખાટારીયા, રહે. મુળ માધાપર પરમારની વાડી હાલ રહે. રોકડીયા હનુમાન પાસે, રેલ્વેફાટક પાસે નવલખી રોડ વાળાએ છેલ્લા 12 વર્ષથી કબ્જો કરી આ જમીન ઉપર પશુ વાડો બનાવી નાખતા ફરિયાદી મોહનભાઇએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text