વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળામાં સીઆરસી જુના કણકોટ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નંદ ઉત્સવ, મટકી ફોડ, રાસલીલા અને વેશભૂષા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય વિરેન્દ્રસિંહ દ્વારા સ્વરચિત કવિતા ‘કાનુડો કહે છે’ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષિકા નમ્રતાબા, કવિતાબેન અને શિક્ષક દિનેશભાઈએ જહેમત ઉઠાવી હતી.

- text

- text