મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ગુરુવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા તા. 20-7-2024 થી તા.2-8-2024 સુધી ગુરુવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લાની 30 શાળામાં ગુરુવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં 30 શાળાઓના 7198 વિદ્યાર્થીઓએ તથા 356 શિક્ષકોએ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની 30 શાળાના ધો. 1 થી 12ના કુલ 246 વિદ્યાર્થીઓ તથા 253 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, સચિવ હિંમતભાઈ મારવાણીયા, GVCA સંયોજક દિનેશભાઈ હુંબલ, GVCA સહ સંયોજક હરદેવભાઈ ડાંગર તથા અન્ય સભ્યો સહિત 40 સદસ્યો જોડાયા હતા.

- text

- text