મોરબી શહેરથી માળીયા વનાળિયા ગામ જવાના રસ્તે ઉભરાતી ગટરથી હાલાકી

- text


મોરબી : મોરબી શહેરની નજીક આવેલા માળીય વનાળિયા ગામ જવાના રસ્તા પર ગટર ઉભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરની કુંડીનું ઢાંકણું ખસી ગયું હોવાથી ગટરમાંથી દુષિત પાણી ઉભરાઈને બહાર આવી રહ્યું છે અને આ પાણી આખા રસ્તા પર ફરી વળ્યું છે. જેના કારણે રસ્તા પર દુષિત પાણીના ખાડા ભરાઈ ગયા છે.

એક બાજુ કાચો ઉબડ ખાબડ રસ્તો અને તેના પર ગટરના પાણી ભરાઈ જતાં કાદવ-કીચડ જોવા મળી રહ્યું છે. આ રસ્તા પરથી દરરોજ અનેક લોકો ચાલીને અને વાહનો લઈને પસાર થઈ રહ્યા છે. ત્યારે ઉભરાતી ગટરના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક થાય તેવી લોક માગ ઉઠી છે.

- text

- text