મોરબી : ભારતીય સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ એટલે રક્ષાબંધન, પરંપરા મુજબ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહિની બહેનો અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દુર્ગાવાહિની બહેનો દ્વારા ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, ડૉક્ટરો, ટ્રાફિક પોલીસ, મનોવિકલાંગ ભાઈઓ, ફાયર બ્રિગેડ, વિહિપ તથા બજરંગદળના અધિકારી તથા કાર્યકર્તા બંધુઓ તથા સંતો-મહંતો, તેમજ કલેકટર કચેરી, એસ.પી સાહેબ, એસ.ઓ.જી સાહેબ, રામ મહેલ સંત, જલારામ ફ્રી ટિફિન સેવા, સિવિલ હોસ્પિટલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સબ જેલ, યદુનંદન ગૌશાળા તેમજ અલગ અલગ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીની 17 બહેનો ઉપસ્થિત રહી હતી.