મોરબી : મોરબીમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈ અને બહેનના અતુટ બંધન એટલે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાજપના પૂર્વ કાઉન્સિલર વર્ષોથી વોર્ડ નં 4માં સો-ઓરડી વિસ્તારમાં સફાઈ કામદાર બહેનો, વાલ્મીકિ સમાજની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની ઊજવણી કરે છે. ત્યારે આજ રોજ વોર્ડ નં 4ના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાએ વાલ્મીકિ સમાજના પરિવારની બહેનો પાસે રાખડી બંધાવી હતી અને સમાજને નવો રાહ ચિંધ્યો હતો.