મોરબી : મોરબીના નીચી માંડલ પાસે કેનાલમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ પાસે વાકડા રોડ ઉપર કેનાલમાંશિવાભાઈ અજયભાઈ ત્રીપાઠી ઉ.વ.20 નામનો યુવાન ન્હાવા પડ્યો હતો. જે ડૂબી જતાં આ મામલે ફાયરની ટીમને જાણ થઈ હતી. ફાયરની ટિમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં અત્યારે સાંજે આ યુવાનનો મૃતદેહ મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન સોરઠ પોલીપેક નામના કારખાનામાં કામ કરતો હતો.