મોરબી : ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે આ ન્યાય યાત્રામાં ગુજરાત બહારના અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે.મોરબીના દરબારગઢથી આ ન્યાય યાત્રાનું પ્રસ્થાન થયું છે. આ ન્યાય યાત્રામાં ગુજરાત બહારના અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે. જેમાં આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, હરિયાણા અને છત્તીસગઢના આશરે 250 જેટલા લોકો જોડાયા છે.