વાંકાનેરના માટેલધામ આસપાસ ગંદકીને લઈ ગ્રામ વિકાસ મંત્રીને રજૂઆત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરની આસપાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું હોય આ અંગે જાગૃત નાગરિક સંજયભાઈ ચાવડાએ રાજ્ય સરકારના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતીને રજૂઆત કરી છે.

- text

સંજયભાઈ ચાવડાએ જણાવ્યું છે કે, માટેલ ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ શાળા અને બાળમંદિરમાં ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેથી રોગચાળો વધે તેવી શક્યતા છે. હાલમાં જ ચાંદીપુરા વાયરસ ફેલાયો છે ત્યારે ગંદકીના કારણે આ રોગચાળો વધુ ફેલાશે તેવો લોકોમાં ભય ઉભો થયો છે. આ અંગે વારંવાર ગ્રામ પંચાયત તેમજ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી કરાઈ નથી. મોરબી જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે તેમ છતાં હજુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે ગ્રામ વિકાસ મંત્રી સમક્ષ આ અંગે રજૂઆત કરાઈ છે અને ગંદકીની સમસ્યા દૂર કરવા જણાવાયું છે.

- text