- text
મોરબી : કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લામાં મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મશાલ રેલી સરદાર ચોકથી પ્રારંભ થઈને મોરબીની મુખ્ય બજારમાંથી ઓમ શાંતિ સ્કૂલ સુધી “વીર શહીદો અમર રહો” , “ભારત માતા કી જય , વંદે માતરમ્ “ના નાદથી ગુંજી ઉઠી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા મહામંત્રી ઉપપ્રમુખ તેમજ જિલ્લા યુવા ટીમ શહેર પ્રમુખ જયદીપભાઈ, મહામંત્રી મંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમ મંડળના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં રાષ્ટ્રભક્ત યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text